રાજકોટ,
તા.૧૮.૪.૨૦૨૦ ના આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમજ ડી.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજા ની સુચના મુજબ એ.સી.પી. ગેડમ તથા પો.ઇન્સ.જે.વી.ધોળાની આગેવાનીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિસ્તારના આવેલ અલગ અલગ સોસાયટીના પોલીસ સંરક્ષકો સાથે મિટિંગ કરી આપણા વિસ્તારમાં કોરોના વાયરસથી પ્રભાવિત તેમજ બિનજરૂરી બહાર નીકળવું નહીં. જંગલેશ્વર તથા બીજા અન્ય વિસ્તારમાંથી કોઈ ઇસમ આવી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની તેમજ જંગલેશ્વર તથા બીજા વિસ્તારમાંથી આવેલા લોકોને આશરો ન આપવા સમજ કરવામાં આવેલ છે. જો કોઈ લોકો આવા લોકોને આશરો આપેલા નું જણાઇ આવશે તો તેવા લોકો વિરુદ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બીજા વિસ્તારમાંથી અહીં કોઈને આશરો ન આપવા સમજ કરવામાં આવેલ છે. તેમજ આજરોજ મિટિંગમાં એવું પણ જણાવવામાં આવેલું કે પોતાની તથા આજુબાજુની સોસાયટીમાં જઇ ને સોસાયટી ના પ્રમુખ તથા રહેવાસીઓને સમજણ કરવી કે અગત્યનું કામ સિવાય બાર જવું નહિ જેથી સંક્રમિત ના બને તેવી જરૂરી સૂચનાઓ આપેલ હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ